ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 13, 2025 4:10 પી એમ(PM)

printer

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવતીકાલથી બે દિવસ પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન યોજાશે

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવતીકાલથી બે દિવસ પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન યોજાશે. કેન્દ્ર ગૃહ મંત્રી અમિત શાહ આ સંમેલનને ખુલ્લું મુકશે.આ સંમેલન અંગે પત્રકારોને સંબોધતા ગૃહ મંત્રાલયના રાજભાષા વિભાગના સચિવ અંશુલી આર્યાએ, જણાવ્યું કે આ બે દિવસથી સંમેલનમનો ઉદ્દેશ હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓ વચ્ચે સમરસતા અને સમન્વય વધારવાનો છે. આ બે દિવસના સંમેલન દરમિયાન વિવિધ સત્ર યોજાશે, અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના 6,000 થી વધુ અધિકારીઓ ભાગ લેશે.
તેમણે કહ્યું કે આ વર્ષના સંમેલન દરમિયાન ભારતીય નામના બહુભાષીય અનુવાદ ટૂલનો પણ શુભારંભ થશે અને કેટલીક નવી પહેલો પણ શરૂ કરાશે.