ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આગામી 19મી જુલાઈના રોજ ગુજરાત સેમી કનેક્ટ પરિષદ યોજાશે

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આગામી 19મી જુલાઈના રોજ ગુજરાત સેમી કનેક્ટ પરિષદ યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ પરિષદને ખુલ્લી મુકશે. રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા આ એક દિવસીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગરમાં પત્રકારોને માહિતી આપતાં, રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે જણાવ્યું કે, આ પરિષદનો ઉદ્દેશ્ય રાજ્યની સ્થાનિક કંપનીઓને સેમીકંડકટર ક્ષેત્રની વૈશ્વિક કંપનીઓ સાથે જોડવાનો છે.
તેમણે કહ્યું , આ પરિષદમાં સરકારી પ્રતિનિધિઓ, સેમી કંડકટર ક્ષેત્રની ટોચની કંપનીઓ, તેમજ ઓટોમેશન, ગેસ, ઇલેક્ટ્રોનિક્સ આઇટી, કેમિકલ અને તેને લગતા વિવિધ ક્ષેત્રોની સ્થાનિક કંપનીઓ ભાગ લેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.