ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 27, 2025 7:12 પી એમ(PM)

printer

ગત 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 17 અને જામનગરમાં સાત નવા કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાના કેસને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. ત્યારે અમદાવાદમાં ગત 24 કલાકમાં કોરોનાના 17 કેસ નોંધાયા છે. મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉક્ટર ભાવિન સોલંકીએ જણાવ્યું, શહેરમાં ગત 24 કલાકમાં કોરોનાના 17 અને આ મહિને અત્યાર સુધીમાં કોરોનાના નેવ્યાસી કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના 76 કેસ સક્રિય છે તેમજ બે દર્દી સારવાર હેઠળ છે.બીજી તરફ જામનગરમાં ગત 24 કલાકમાં એક જ પરિવારના ચાર સહિત સાત નવા કેસ નોંધાયા છે. આ પરિવાર કેરળથી પરત આવતા તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. અત્યારે જામનગરમાં કોરોનાના 10 સક્રિય કેસ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ