ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી તથા ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ ISR વચ્ચે સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત,ભુસ્તરશાસ્ત્ર અને ભૂકંપ સાથે સંકળાયેલા વિવિધ સંશોધન પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે. ISR દ્વારા કચ્છ યુનિવર્સિટી ખાતે પ્રાદેશિક સંશોધન કેન્દ્ર સ્થાપવામાં આવશે. આ કેન્દ્રમાં વિવિધ પ્રયોગાશાળાઓનું નિર્માણ કરાશે. કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આઇએસઆરના વૈજ્ઞાનિકોદ્વારા ભૂસ્તરશાસ્ત્ર તથા ભૂકંપ વિશેના અભ્યાસક્રમો ભણાવવામાં આવશે અને તેમને આઇએસઆરમાં ટ્રેનિંગ, પ્રોજેક્ટ તથા સંશોધનના વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તક મળશે. આઇએસઆરના વૈજ્ઞાનિકોને કચ્છ યુનિવર્સિટી ખાતે પીએચડીની ગાઇડશીપ પણ એનાયત કરવામાં આવશે.
Site Admin | માર્ચ 15, 2025 2:20 પી એમ(PM)
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી તથા ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ વચ્ચે સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા
