ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 19, 2024 11:20 એ એમ (AM) | aakshvani | aakshvaninews

printer

કોલકાતા દુષ્કર્મ અને હત્યા કેસ મામલે સર્વોચ્ચ અદાલત આવતીકાલે સુનાવણી કરશે

સર્વોચ્ચ અદાલતે કોલકાતાની આર.જી. કર મેડિકલ કૉલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં નોંધ લીધી છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડ, ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રા આવતીકાલે આ કેસની સુનાવણી કરશે. આ મહિનાની શરૂઆતમાં કોલકાતાની આર. જી. કર હૉસ્પિટલમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી દેવાઈ હતી.
આ ઘટના બાદ કોલકાતા પોલીસે એક સ્વયંસેવકની ધરપકડ કરી છે. ઘટનાને પગલે દેશભરમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. વિવિધ તબીબી સંગઠનો આ મામલે હડતાળ પર ઉતર્યા છે. કોલકાતા વડી અદાલતે આ કેસ સીબીઆઈને સોંપ્યો છે.