દેશ અને દુનિયાને હચમચાવી નાંખનારી અમદાવાદની વિમાન દુર્ઘટનાને કારણે લોકો આઘાતમાં છે. ત્યારે કોંગ્રેસે પણ પોતાના તમામ કાર્યક્રમો એક અઠવાડિયા માટે સ્થગિત કરીને શોક વ્યક્ત કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાનને કારણે પણ રાજકોટમાં શોક છે ત્યારે કોંગ્રેસે પણ આ શોક જાહેર કરીને પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. જ્યારે અમદાવાદમાં પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતેથી કોચરબ આશ્રમ સુધીની કેન્ડલ માર્ચ યોજીને મૃતકોને શ્રધ્ધાંજલી અર્પશે.
Site Admin | જૂન 13, 2025 3:30 પી એમ(PM)
કોંગ્રેસે પોતાના તમામ કાર્યક્રમો એક અઠવાડિયા માટે સ્થગિત કરીને શોક વ્યક્ત કર્યો
