કૈલાશ-માનસરોવર યાત્રાળુઓના ચોથા જૂથને ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ધારચુલા બેઝ કેમ્પમાં રોકવામાં આવ્યું છે. ખરાબ હવામાનને કારણે ઊંચાઈવાળા સ્થળે જવાના રસ્તા પર પથ્થરો અને કાટમાળ પડેલો હોવાને કારણે યાત્રાળુઓને રોકી દેવામાં આવ્યાં છે. રોકી દેવાયેલા આ જૂથમાં દેશના વિવિધ ભાગોમાંથી 14 મહિલાઓ સહિત 48 યાત્રાળુનો સમાવેશ થાય છે.વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત કૈલાશ માનસરોવર યાત્રા જૂનમાં શરૂ થઈ હતી અને ઓગસ્ટમાં સમાપ્ત થશે.
Site Admin | ઓગસ્ટ 7, 2025 9:38 એ એમ (AM)
કૈલાશ-માનસરોવર યાત્રાળુઓના ચોથા જૂથને ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ધારચુલા બેઝ કેમ્પમાં રોકવામાં આવ્યું
