ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 30, 2024 2:24 પી એમ(PM)

printer

કેરળના કાસરગોડમાં સર્જાયેલી ફટાકડા દુર્ઘટનાની તપાસ માટે વિશેષ તપાસ દળની રચના

કેરળના કાસરગોડમાં આવેલા ફટાકડા દુર્ઘટના દરમિયાન 150 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા તે ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે વિશેષ તપાસ દળ – SITની રચના કરી છે. નીલેશ્વરમ્ નજીક આવેલા વિરરકવુ મંદિરમાં એક કાર્યક્રમ દરમિયાન સોમવારે મધરાત્રે મંદિર નજીક આવેલા ફટાકડાની દુકાનમાં વિસ્ફોટ થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે આ સમગ્ર ઘટનાની અલગથી તપાસ કર્યા બાદ અહેવાલ સોંપવા આદેશ આપ્યો છે. જ્યારે પોલીસે જણાવ્યું કે, આ વિસ્ફોટનું કારણ જાણવા માટેની તપાસ હજી ચાલી રહી છે. જ્યારે ઘટના અંગે મંદિરના સત્તીધીશો સામે કેસ નોંધવામાં આવ્યો છે.