કેબિનેટ સચિવ ટી.વી.સોમનાથને જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણ માટે પ્રધાનમંત્રીના મુખ્ય પ્લેટફોર્મ – પ્રગતિની કલ્પના કરી હતી. તેમણે કહ્યું કે, પ્રગતિનો ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન સુધારવાનો છે જેથી સમસ્યાઓ અને અવરોધોનો સામનો કરી રહેલા મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સને ઝડપી બનાવી શકાય.
નવી દિલ્હીમાં પ્રગતિની 50મી બેઠકમાં મીડિયાને સંબોધતા, શ્રી સોમનાથને કહ્યું કે, આ એક એવી પદ્ધતિ છે જે દસ વર્ષથી અમલમાં છે. તેમણે કહ્યું કે, પ્રગતિ મિકેનિઝમ કેન્દ્રીય મંત્રાલયો અને રાજ્ય સરકારોના સક્રિય સહયોગ દ્વારા પ્રોજેક્ટ મોનિટરિંગ, નાગરિકોની ફરિયાદ નિવારણ અને યોજના અમલીકરણની સમીક્ષા માટે ટેકનોલોજી-આધારિત પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી ચોક્કસ પ્રોજેક્ટ્સ અને યોજનાઓની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે રાજ્યોના મુખ્ય સચિવો અને કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના સચિવો સાથે સીધી પ્રગતિ સમીક્ષા બેઠકોનું નેતૃત્વ કરે છે.
Site Admin | જાન્યુઆરી 2, 2026 8:25 પી એમ(PM)
કેબિનેટ સચિવ ટી.વી.સોમનાથને કહ્યું- પ્રધાનમંત્રીના મુખ્ય પ્લેટફોર્મ પ્રગતિનો ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન સુધારવાનો છે.