કેન્દ્ર સરકાર દ્વારા બજારમાં વાજબી ભાવે અને સરળતાથી ઘઉં મળી રહે તથા સંગ્રહખોરી અટકે તે માટે આગામી 31 માર્ચ 2026 સુધી સ્ટોક એટલે કે જથ્થાની મર્યાદા અમલી બનાવવામાં આવી છે.
ઘઉંના સંગ્રહ કરવામાં સુધારો કરી ઘઉંની સંગ્રહખોરી અટકે અને બજારમાં ઘઉં સરળતાથી અને વાજબી કિંમતે ગ્રાહકોને મળે તે હેતુસર ઘઉંના વેપાર સાથે સંકળાયેલા વેપારી સંગઠન, જથ્થાબંધ અને છૂટક વેપારીઓ, બીગ ચેન રિટેઈલર્સ અને પ્રૉસેસર્સ પર જથ્થા મર્યાદા દાખલ કરવામાં આવી છે. તેમાં વેપારી, છૂટક વેપારી માટે બે હજાર મૅટ્રિક ટન, છૂટક વેપારી અને મોટા વેપારીઓ માટે આઠ-આઠ મૅટ્રિક ટન તેમજ પ્રૉસેસર માટે 60 ટકા ક્ષમતા મુજબ મર્યાદા નક્કી કરવામાં આવી છે તેમ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયું છે.
Site Admin | ડિસેમ્બર 16, 2025 3:13 પી એમ(PM)
કેન્દ્ર સરકાર દ્વારા આગામી 31 માર્ચ 2026 સુધી સ્ટોક એટલે કે જથ્થાની મર્યાદા અમલી બનાવવામાં આવી.