ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 4, 2024 8:10 પી એમ(PM)

printer

કેન્દ્ર સરકાર, ત્રિપુરા સરકાર, NLFT અને ATTF ના પ્રતિનિધીઓ વચ્ચે સમજૂતિ પત્ર પર હસ્તાક્ષર

આજે નવી દિલ્હીમાં કેન્દ્ર સરકાર, ત્રિપુરા સરકાર અને નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા- NLFT અને ઓલ ત્રિપુરા ટાઇગર ફોર્સ-, ATTF ના પ્રતિનિધીઓ વચ્ચે સમજૂતિ પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગૃહ મંત્રીએ જણાવ્યું કે, એ આનંદની વાત છે કે NLFT અને ATTF એ શસ્ત્રો ત્યજીને મુખ્યધારામાં જોડાયા છે. તેમણે જણાવ્યું કે, અગાઉ ઉત્તર પૂર્વનાં લોકો અને દિલ્હી વચ્ચે અંતર હતું, પણ પ્રધાનમંત્રીએ રોડ, રેલ અને એર કનેક્ટિવિટી દ્વારા આ અંતર નાબૂદ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં શાંતિ અને સમૃધ્ધિ માટે 12 મહત્વની સમજૂતિઓ કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.