ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 5, 2025 7:37 પી એમ(PM) | કેન્દ્ર સરકાર

printer

કેન્દ્ર સરકારે સોનપ્રયાગથી કેદારનાથ રોપવેના વિકાસને મંજૂરી આપી

કેન્દ્ર સરકારે ૧૨.૯ કિલોમીટર લાંબા સોનપ્રયાગથી કેદારનાથ રોપવેના વિકાસને મંજૂરી આપી છે,
આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ચાર હજાર કરોડ રૂપિયાથી વધુ થશે. તેમણે કહ્યું કે આ રોપવેથી યાત્રાળુઓનો મુસાફરીનો સમય 8 થી 9 કલાકથી ઘટીને 36 મિનિટ થઈ જશે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટથી દિવ્યાંગો અને વૃદ્ધોને ઘણી મદદ મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હેમકુંડ સાહિબ રોપ-વેનો પણ વિકસાવવામાં આવશે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 2 હજાર 730 કરોડ રૂપિયા થશે. રોપ-વેની લંબાઈ ૧૨.૪ કિલોમીટર હશે.
શ્રી વૈષ્ણવે ઉમેર્યું હતું કે સરકારે પશુધનના સ્વાસ્થ્ય અને રોગ નિવારણ માટે 3 હજાર 880 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો નિર્ણયો લીધા છે. તેમણે કહ્યું કે પશુ ઔષધિ દ્વારા સારી ગુણવત્તાવાળી અને સસ્તી જેનરિક પશુચિકિત્સા દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.