જુલાઇ 13, 2025 7:47 પી એમ(PM)

printer

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નકલી અને હલકી ગુણવત્તાવાળા ખાતરોના પુરવઠા અંગે તાત્કાલિક અને કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નકલી અને હલકી ગુણવત્તાવાળા ખાતરોના પુરવઠા અંગે તાત્કાલિક અને કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ સંદર્ભમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો છે. કૃષિ મંત્રીએ કહ્યું કે ખાતરની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની જવાબદારી રાજ્યોની છે. શ્રી ચૌહાણે રાજ્યોને ગુનેગારોના લાઇસન્સ રદ કરવા અને FIR નોંધવા પણ કહ્યું છે.