કેન્દ્ર સરકારે ગઈકાલે ચાર નવી શ્રમસંહિતાનો અમલ લાગુ કરતાં ઉદ્યોગ જગતના વિવિધ પ્રતિનિધિઓએ શ્રમ સંહિતાની પ્રશંસા કરી છે અને કહ્યું કે તે અર્થતંત્ર માટે જરૂરી છે.
ભારતીય મજૂર સંઘે ચાર નવા શ્રમ સંહિતા અમલમાં મૂકવાનું સ્વાગત કર્યું. મજૂર સંઘના રાષ્ટ્રીય સચિવ ગિરીશ આર્યએ જણાવ્યું કે, આ સ્વતંત્રતા પછી કામદારોના પક્ષમાં સૌથી મોટો સુધારો છે. આનાથી કામદારો સશક્ત બનશે અને અમલ સરળ બનશે.
ભારતીય વેપાર સંગઠનોના રાષ્ટ્રીય મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. દીપક જયસ્વાલે કહ્યું કે, અસંગઠિત ક્ષેત્રમાં આશરે 50 કરોડ લોકો કાર્યરત છે, નવા શ્રમ સંહિતાનો અમલ હવે તેમના લઘુત્તમ વેતનને સંપૂર્ણપણે સુનિશ્ચિત કરશે. મહિલાઓ માટે સમાન કામ માટે સમાન વેતનની જોગવાઈ પણ છે.
નવા શ્રમ સંહિતાનું સ્વાગત કરતા, નેસકોમે કહ્યું કે, તેની મુખ્ય જોગવાઈઓ ભારતના શ્રમ સુધારામાં એક મહત્વપૂર્ણ પગલું છે. વેતન, સલામતી અને સામાજિક સુરક્ષા પર વધુ સ્પષ્ટતા મજબૂત કાર્યબળ બનાવવામાં મદદ કરશે. ઉદ્યોગોને વિશ્વાસ સાથે આ પરિવર્તનને સ્વીકારવામાં મદદ કરવા માટે તમામ હિતધારકો સાથે નજીકથી કામ કરશે.
Site Admin | નવેમ્બર 22, 2025 7:45 પી એમ(PM)
કેન્દ્ર સરકારે ચાર નવી શ્રમસંહિતાનો અમલ લાગુ કરતાં ઉદ્યોગ જગતના વિવિધ પ્રતિનિધિઓએ શ્રમ સંહિતાની પ્રશંસા કરી