કેન્દ્ર સરકારે આજે ચાર નવા શ્રમ સંહિતા અમલી કરવાની જાહેરાત કરી છે. જેનો ઉદ્દેશ્ય દેશમાં હાલના દાયકાઓ જૂના શ્રમ કાયદાઓને સરળ અને સુવ્યવસ્થિત કરવાનો છે.
શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે નવા શ્રમ સંહિતા દેશના કાર્યબળ માટે વધુ સારા વેતન, સલામતી, સામાજિક સુરક્ષા અને કલ્યાણની ખાતરી આપશે. વેતન સંહિતા 2019, ઔદ્યોગિક સંબંધો સંહિતા 2020, સામાજિક સુરક્ષા સંહિતા 2020 અને વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિઓ સંહિતા 2020 આજથી અમલમાં આવ્યા છે.
Site Admin | નવેમ્બર 21, 2025 8:06 પી એમ(PM)
કેન્દ્ર સરકારે આજે ચાર નવી શ્રમ સંહિતા લાગુ કરી – પ્રધાનમંત્રીએ આ નિર્ણયની પ્રશંસા કરી