સપ્ટેમ્બર 19, 2024 2:08 પી એમ(PM)

printer

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સહકાર મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં શરૂ કરાયેલી વિવિધ પહેલ પર રાષ્ટ્રીય સંમેલનને સંબોધશે

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સહકાર મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં શરૂ કરાયેલી વિવિધ પહેલ પર રાષ્ટ્રીય સંમેલનને સંબોધશે.
સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી શાહે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન સહકારી ક્ષેત્ર માટે લેવાયેલા પગલાં આ ક્ષેત્રને નવી ગતિ અને ઊર્જા સાથે આગળ વધારવામાં મદદરૂપ બનશે . શ્રી શાહે કહ્યું કે તેઓ આ સંમેલનમાં વિવિધ પહેલ અંગે ચર્ચા કરશે.