કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ગઇકાલે ચેન્નાઈ ખાતે 71મા વાર્ષિક કલા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. આર્ટ ફેસ્ટિવલને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં સંસ્કૃતિની એકીકૃત શક્તિ પર ભાર મૂક્યો હતો. શ્રી શેખાવતે કહ્યું કે સંસ્કૃતિ રાષ્ટ્રીય એકતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે ઝાકિર હુસૈન સહિતના મહાન કલાકારોને તેમના જીવનભર શાસ્ત્રીય સંગીતના સમર્પણ માટે શ્રદ્ધાંજલિ આપી હતી.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આધુનિક પ્રભાવો સાથે પરંપરાગત મૂલ્યોનું મિશ્રણ કરીને આજે ભારતમાં સાંસ્કૃતિક પુનરુત્થાન થઈ રહ્યું છે. કાર્યક્રમના ભાગરૂપે શ્રી શેખાવતે ભારતીય શાસ્ત્રીય કલાના વારસાની ઉજવણી કરતા વિશેષ પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા વૈજયંતી માલાએ ભાવ અભિનયમ રજૂ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન, કેન્દ્રીય મંત્રીએ વૈજયંતી માલાનું શાસ્ત્રીય નૃત્યઅને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માન કર્યું હતું. આ પ્રદર્શન 2 જાન્યુઆરી, સુધી ચાલશે.
Site Admin | ડિસેમ્બર 24, 2024 9:37 એ એમ (AM) | કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ચેન્નાઈ ખાતે 71મા વાર્ષિક કલા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું
