કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નવી દિલ્હીમાં ખતબાત-એ-મોદી નામના પુસ્તકનું અનાવરણ કર્યું. આ પ્રસંગે શ્રી પ્રધાને જણાવ્યું કે, આ પુસ્તક વર્ષ 2014 થી 2025 સુધીના પ્રધાનમંત્રી મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણોનું સંકલન છે. તેમણે કહ્યું કે આ ભાષણો સબકા સાથ, સબકા વિકાસ ઔર સબકા પ્રયાસ અપનાવીને શ્રી મોદીની કાર્ય કરવાની રીતનું દસ્તાવેજીકરણ છે.
તેમણે ભાર મૂક્યો કે પુસ્તકમાં અંત્યોદય, સ્વચ્છ ભારત અને રાષ્ટ્રીય હિતને લગતા અસંખ્ય અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે.
Site Admin | જાન્યુઆરી 5, 2026 7:45 પી એમ(PM)
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હીમાં ‘ખતબાત-એ-મોદી’ પુસ્તકનું અનાવરણ કર્યું.