ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 10, 2025 6:42 પી એમ(PM)

printer

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રેલવે સુધારા ખરડો 2024 રાજ્યસભામાં ચર્ચા અને પસાર કરાવવા માટે રજૂ કર્યું

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રેલવે સુધારા ખરડો 2024 રાજ્યસભામાં ચર્ચા અને પસાર કરાવવા માટે રજૂકર્યું. આ ખરડામાં રેલવે અધિનિયમ 1989માં સુધારા કરી અને રેલવે બૉર્ડની શક્તિને વધારવા, કાર્યપ્રણાલી તેમ જ સ્વતંત્રતા વધારવાની જોગવાઈ છે. શ્રી વૈષ્ણવે કહ્યું,આ ખરડાના માધ્યમથી ભારતીય રેલવે બૉર્ડ અધિનિયમ, 1905ની તમામ જોગવાઈને રેલવે અધિનિયમ, 1989માં સામેલ કરવાનો પ્રસ્તાવ છે. લોકસભા દ્વારા પહેલા જ આ ખરડાને મંજૂરી અપાઈ છે.બીજી તરફ કૉંગ્રેસના વિવેક તન્ખાએ ચર્ચા શરૂ કરતા કહ્યું, રેલવેના વિકાસ માટે રેલવે બૉર્ડને સંપૂર્ણ સ્વાયતત્તા આપવી જરૂરી છે. રેલવે-એ એક પારદર્શક સંગઠન બનાવવું જોઈએ તેમ પણ કહ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના સુભાષ બરાલાએ ખરડાનું સમર્થન કરતાં કહ્યું, આ ખરડાનો ઉદ્દેશ રેલવેના વહીવટી કામને વધુ યોગ્ય, પારદર્શક અને જવાબદાર બનાવવાનો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.