કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જણાવ્યું હતું કે ભારતનું અર્થતંત્ર 30 અબજ ડોલરના ઉદ્યોગ તરીકે ઉભરી આવ્યું છે, જે GDPમાં લગભગ 2.5 ટકા યોગદાન આપે છે અને આઠ ટકા કર્મચારીઓને આજીવિકા પૂરી પાડે છે. અંગ્રેજી અને હિન્દી દૈનિકોમાં લખેલા એક લેખમાં, શ્રી વૈષ્ણવે જણાવ્યુ હતું કે વિશ્વ ઓડિયો-વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ સમિટ એ દેશને સામગ્રી નિર્માણ અને નવીનતામાં વૈશ્વિક પાવરહાઉસ તરીકે સ્થાન આપવા માટે એક સીમાચિહ્નરૂપ પહેલ છે.
આજે સાંજે ગોવામાં શરૂ થનારા ભારતના 55મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ વિશે વાત કરતા મંત્રીએ કહ્યું કે આગામી આઠ દિવસમાં, આ કાર્યક્રમમાં સેંકડો ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવશે. તેમજ ઉદ્યોગના દિગ્ગજ કલાકારો સાથે માસ્ટરક્લાસનું આયોજન કરાશે તેમણે ઉમેર્યું હતું કે વૈશ્વિક અને ભારતીય સિનેમેટિક શ્રેષ્ઠતાનું આ સંકલન ભારતના અર્થતંત્રને નવીનતા, રોજગાર અને સાંસ્કૃતિક મુત્સદ્દીગીરીના પાવરહાઉસ તરીકે દર્શાવે છે.
Site Admin | નવેમ્બર 20, 2024 2:43 પી એમ(PM)
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ભારતનું અર્થતંત્ર 30 અબજ ડોલરના ઉદ્યોગ તરીકે ઉભરી આવ્યું છે
