કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં રાજ્યના રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી. શ્રી ગડકરીએ રસ્તાઓની ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવા અધિકારીઓ અને ઇજારદારોને તાકીદ કરી છે. તેમણે માર્ગોના નિર્માણ અને સમારકામમાં નાગરિક સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પર પણ ભાર આપ્યો.
બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ રાજમાર્ગનું યોગ્ય સમારકામ અને જરૂર પડે ત્યારે વિસ્તૃતિકરણના કામ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ – N.H.A.I. દ્વારા કરાય તેવો શ્રી ગડકરીને અનુરોધ કર્યો. તેમણે અમદાવાદ-મુંબઈ, રાજકોટ—ગોંડલ—જેતપુર, અમદાવાદ—ઉદયપુર માર્ગના પ્રગતિ હેઠળના કામ ઝડપથી પૂર્ણ કરાવવા પણ શ્રી ગડકરીને રજૂઆત કરી.
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રીએ મુખ્યમંત્રીની રજૂઆતને ધ્યાને લઈ રાજ્યમાં N.H.A.I.ની રાજમાર્ગ સહિતની અન્ય પરિયોજના માટે 20 હજાર કરોડ કેન્દ્ર સરકાર તરફથી મંજૂર કરવાની ખાતરી આપી.
ત્યારબાદ શ્રી ગડકરીએ સુરતમાં તમામ મહાનુભાવોની રજૂઆતને ધ્યાને લઈ પલસાણા અંડરપાસ બનાવવા માટેની ખાતરી આપી.
ત્યારબાદ શ્રી ગડકરી વલસાડના ડુંગરી રોલા ખાતે જવા રવાના થયા. ત્યાંથી તેઓ હૅલિકૉપ્ટરમાં મહારાષ્ટ્રના તલાસરી પહોંચશે, જ્યાં તેઓ અંડર ટનલનું નિરીક્ષણ કરશે.
Site Admin | નવેમ્બર 27, 2025 3:51 પી એમ(PM)
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં રાજ્યના રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી.