ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 27, 2024 7:39 પી એમ(PM) | બાળ વિવાહ મુક્ત ભારત

printer

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ બાળ વિવાહ મુક્ત ભારતના રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરાવી

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે નવી દિલ્હીમાં બાળ વિવાહ મુક્ત ભારતના રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરાવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતને બાળ લગ્ન મુક્ત રાષ્ટ્ર બનાવવાનો છે.
અભિયાન શરૂ કરાવતા સુશ્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે, સરકારે દેશમાં 130 જિલ્લા નક્કી કર્યા છે, જ્યાં આ અભિયાન પર ભાર મૂકવામાં આવશે. તેમણે જણાવ્યું કે, બાળ લગ્ન માત્ર ફોજદારી ગુનો જ નથી, માનવ અધિકારનો પણ ભંગ છે. તેમણે જણાવ્યું કે, બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન માત્ર 10-15 દિવસનો કાર્યક્રમ નથી, પણ અવિરત પ્રયત્ન છે, જે ભારત બાળ વિવાહનાં દુષણથી મુક્ત નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ બાળ લગ્ન-મુક્ત ભારત પોર્ટલનું પણ અનાવરણ કર્યું હતું. બાળ લગ્ન અટકાવવા અને બાળ લગ્નની ઘટનાઓ અંગે જાગૃતિ વધારવાના અભિયાનને સમર્થન આપવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે.