માર્ચ 2, 2025 3:20 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આજે સુરતના લિંબાયત અને ડિંડોલીને સાંકળતા અત્યાધુનિક રેલવે અંડરપાસનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આજે સુરતના લિંબાયત અને ડિંડોલીને સાંકળતા અત્યાધુનિક રેલવે અંડરપાસનું ઉદ્ઘાટન કર્યું. લિંબાયત ઝોન વિસ્તારમાં ઉધના યાર્ડ ખાતે સુરત – ભુસાવલ રેલવે લાઈન પર સાંઈબાબા મંદિર પાસે લિંબાયતથી ડિંડોલી જવા વાહનચાલકોને લાંબુ અંતર કાપવું પડતું હતું. આ સમસ્યાને ધ્યાને રાખીને મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2020માં 60 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક રેલવે અંડરપાસ બનાવવાનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે શ્રી પાટિલે જણાવ્યું કે સુરત શહેરમાં રાજ્યનો સૌથી લાંબો અંડરપાસ નિર્માણ પામ્યો છે. આ અંડરપાસથી સમય અને ઈંધણની બચત થતા ઉદ્યોગકારોને તેમના વ્યવસાયનો વ્યાપ વધારવામાં ઉપયોગી નીવડશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.