કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સ્પષ્ટતા કરી કે સરકાર પાસે અરવલ્લી ક્ષેત્રમાં શહેરીકરણની કોઈ યોજના નથી અને તેનું એકમાત્ર અને વિશિષ્ટ ધ્યાન આ શ્રેણીના રક્ષણ પર છે.
નવી દિલ્હીમાં એક સમાચાર સંસ્થા સાથે વાત કરતા શ્રી યાદવે કહ્યું કે ફુલેરા, અજમેર, ઉદયપુર અને બુંદી સહિતના ઘણા શહેરો પહેલાથી જ અરવલ્લીમાં સ્થિત છે, જ્યાં સદીઓથી માનવો વસે છે. તેમણે ઉમેર્યું કે સર્વોચ્ચ અદાલતે અરવલ્લીના સંરક્ષિત વિસ્તારોને વ્યાખ્યાયિત કર્યા છે. તેના આધારે, રાજ્યોએ કડક નિયમો બનાવવા જરૂરી છે. મંત્રીએ કહ્યું કે, લગભગ 90 ટકા વિસ્તારમાં ખાણકામ પ્રવૃત્તિઓ શક્ય નથી.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે અરવલ્લીના 0.19 ટકાથી વધુ વિસ્તારમાં નવું ખાણકામ શક્ય નથી.
Site Admin | ડિસેમ્બર 22, 2025 7:54 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની સ્પષ્ટતા-અરવલ્લી ક્ષેત્રમાં શહેરીકરણની સરકારની કોઈ જ યોજના નથી