વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારત—ન્યૂઝિલૅન્ડ વેપાર મંચમાં આજે ન્યૂ ઝિલૅન્ડના પોતાના સમકક્ષ ટૉડ મેકલે સાથે ઑકલૅન્ડમાં મુલાકાત કરી. દરમિયાન શ્રી ગોયલે બંને દેશ વચ્ચે દરિયાઈ, હવાઈ, શિક્ષણ, રમતગમત, સંરક્ષણ અને પ્રવાસન જેવા ક્ષેત્રમાં પરસ્પર ભાગીદારીને વધારવા અંગે ચર્ચા કરી.
શ્રી ગોયલે ન્યૂઝિલૅન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્ઝન અને શ્રી મેકલે સાથે ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા. તેમણે કહ્યું, ભારતને રોકાણનું એક આકર્ષક સ્થળ બનાવવા તમામ પ્રયાસ થઈ રહ્યા છે. શ્રી ગોયલે કહ્યું, ભારત અને ન્યૂઝિલૅન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર વેપારને વધારશે. સાથે જ બંને દેશના સંબંધને મજબૂત કરવાની અઢળક તક પૂરી પાડશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પનામાં ભારત અને ન્યૂઝિલૅન્ડની ભાગીદારી મુક્ત વેપાર કરારથી વધુ મજબૂત થઈ શકે છે. તેનાથી બંને દેશ માટે અનેક તકનું સર્જન થશે અને લોકોને લાભ થશે તેવો વિશ્વાસ પણ શ્રી ગોયલે વ્યક્ત કર્યો.
Site Admin | નવેમ્બર 5, 2025 7:39 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ન્યૂઝિલૅન્ડના પોતાના સમકક્ષ સાથે મુલાકાતમાં પરસ્પર ભાગીદારીને વધારવા ચર્ચા કરી