શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયા આવતીકાલે નવી દિલ્હીમાં અસંગઠિત કામદારો માટે ઈ શ્રમ, વન સ્ટોપ સોલ્યુશન રજૂ કરશે. અસંગઠિત કામદારોને વિવિધ સરકારી યોજનાઓ સુધી સરળતાથી પહોંચ મળે તે સુનિશ્ચિત કરવા માટે આ પ્લેટફોર્મ મધ્યસ્થી તરીકે કામ કરશે. પહેલનો પ્રાથમિક ઉદ્દેશ્ય એક જ પ્લેટફોર્મ દ્વારા અસરકારક રીતે અસંગઠિત કામદારો માટેની તમામ સામાજિક સુરક્ષા અને કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓ વિશેની માહિતીને એકીકૃત કરવાનો છે. આ પહેલ અસંગઠિત કામદારોને તેમના માટે રચાયેલ યોજનાઓથી વાકેફ કરવામાં મદદ કરશે.
Site Admin | ઓક્ટોબર 20, 2024 7:47 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા આવતીકાલે નવી દિલ્હીમાં અસંગઠિત કામદારો માટે ઈ શ્રમ, વન સ્ટોપ સોલ્યુશન રજૂ કરશે
