ડિસેમ્બર 2, 2025 7:38 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, દેશના દરેક નાગરિકની ડિજિટલ સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા

કેન્દ્રીય દૂરસંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, સંચાર સાથી ઍપ સંપૂર્ણ રીતે લોકતાંત્રિક છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંધિયાએ કહ્યું, દેશના દરેક નાગરિકની ડિજિટલ સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે કહ્યું, સંચાર સાથી ઍપ અને પૉર્ટલ છે, જે નાગરિકોને પારદર્શક અને ઉપકરણોના માધ્યમથી પોતાને સલામત રાખવામાં સક્ષમ બનાવે છે.
ઉપયોગકર્તા પોતાની સુવિધા મુજબ, ઍપને ડાઉનલૉડ કરી તેનો લાભ લઈ શકે છે અને તેઓ કોઈ પણ સમયે પોતાના ફોનથી આ ઍપ પણ હટાવી પણ શકે છે.