ઓગસ્ટ 25, 2024 7:52 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન ફરી એકવાર આગામી 5 વર્ષ માટે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન ફરી એકવાર આગામી પાંચ વર્ષ માટે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે.
રાંચીમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
શ્રી પાસવાને કહ્યું કે બેઠકમાં હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણીઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ઝારખંડમાં પાર્ટી તેના સહયોગી ભારતીય જનતા પાર્ટી સાથે અથવા એકલા ચૂંટણી લડી શકે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.