જાન્યુઆરી 2, 2025 3:30 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રીમંડળે લીધેલા ખેડૂતલક્ષી નિર્ણયોને રાજ્યનાં ખેડૂતોએ આવકાર્યાં

કેન્દ્રીય મંત્રીમંડળે લીધેલા ખેડૂતલક્ષી નિર્ણયોને રાજ્યનાં ખેડૂતોએ આવકાર્યાં છે.
કેન્દ્ર સરકારે નવા વર્ષના પ્રથમ દિવસે ખેડૂતોને ડાય એમોનિયમ ફોસ્ફેટ- ડીએપી ખાતરની ૫૦ કિલોની થેલીનો ભાવ એક હજાર 350 રૂપિયા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.
ગઈકાલે મળેલી મંત્રીમંડળની બેઠકમાં સરકારે ડીએપી પર ૩૮૫૦ કરોડ રૂપિયા વધારાની સબસિડી આપવાનો પણ નિર્ણય લીધો છે.