કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, આગામી પહેલી ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. કેન્દ્રીય બજેટ રજૂ થાય તે પહેલાં આકાશવાણી સમાચાર, નિષ્ણાતો અને લોકોની કેન્દ્રીય બજેટ પાસેથી અપેક્ષાઓ રજૂ કરતીએક વિશેષ શ્રેણી પ્રસારીત કરી રહ્યું છે. ભારતીય કૃષિ સંશોધન સંસ્થા(IARI)ના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક, ડૉ. જે.પી.એસ. દાબાસે, આકાશવાણી સમાચાર સાથે વાત કરતાં જણાવ્યું કે, આ બજેટમાં સરકારે ખેડૂતોને સર્વાંગી રીતે ટેકો આપવો જોઈએ,જેથી તેઓ સારા પાકનું ઉત્પાદન કરી શકે. ખેડૂતોને સારી ગુણવત્તામાં પાકના બીજ, ખાતર અને અન્ય સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. તેમણે ઉમેર્યું કેતમામ કૃષિ સાધનો પર GST કર ઘટાડવો જોઈએ.
Site Admin | જાન્યુઆરી 27, 2025 7:24 પી એમ(PM)
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, આગામી પહેલી ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે
