કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે એનડીએ સરકારની ત્રીજી મુદતનું પ્રથમ સંપૂર્ણ અંદાજપત્ર રજૂ કર્યું હતું.
અંદાજપત્રમાં ખાસ કરીને મધ્યમ અને પગારદાર વર્ગ, કૃષિ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમો તથા એકંદર અર્થતંત્રનાં વિકાસ માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે.
લોકસભામાં અંદાજપત્ર રજૂ કરતા નાણા મંત્રીએ જાહેરાત કરી કે નવી કરપ્રણાલિ હેઠળ આવકવેરાનાં સ્લેબ પ્રમાણે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઇ વેરો નહીં લાગે. 75 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉમેરતાં પગારદાર વ્યક્તિની કુલ 12 લાખ 75000 સુધીની વાર્ષિક આવક પર કોઇ ટેક્સ નહીં લાગે.
સુશ્રી સીતારમણે નવી કર પ્રણાલિ હેઠળ આવકવેરાનાં નવા સ્લેબ દાખલ કર્યા હતા, જે મુજબ ચાર લાખ રૂપિયાની આવક પર કોઇ ટેક્સ નહીં લાગે. ચાર લાખથી આઠ લાખ રૂપિયાની આવક પર પાંચ ટકા અને 24 લાખથી ઉપરની આવક પર મહત્તમ 30 ટકા લેખે ટેક્સ લાગશે. તેમણે કરમાળખા સુધારાને વિક્સિત ભારતનાં વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્વનો સુધારો ગણાવ્યો હતો. વરિષ્ઠ નાગરિકો માટે કર કપાત મર્યાદા 50 હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે.
Site Admin | ફેબ્રુવારી 1, 2025 8:10 પી એમ(PM)
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે એનડીએ સરકારની ત્રીજી મુદતનું પ્રથમ સંપૂર્ણ અંદાજપત્ર રજૂ કર્યું હતું
