કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે આજે બનાસકાંઠાના જિલ્લા કાર્યાલય “બનાસ કમલમ” નુ લોકાર્પણ કર્યું. આ તકે, મંત્રી શ્રી પાટીલે જણાવ્યું કે, ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યમાં પણ જિલ્લા લેવલે પાર્ટીના પોતાના કાર્યાલય બને તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, અને આ નવીન કાર્યાલયો થકી જિલ્લાના કાર્યકર્તાઓને કામમાં ખૂબ જ સરળતા
રહેશે.
વધુમાં શ્રી પાટીલે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં જુના કુવાઓ અને બોર રિચાર્જના કાર્યો ખૂબ જ ઝડપ થઈ રહ્યા છે, ત્યારે જિલ્લાના કાર્યકર્તાઓને લોક ભાગીદારી થકી નવીન કાર્યાલય અને જળસંચયના કામો કરવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.
Site Admin | માર્ચ 15, 2025 7:39 પી એમ(PM)
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે આજે બનાસકાંઠાના જિલ્લા કાર્યાલય “બનાસ કમલમ” નુ લોકાર્પણ કર્યું
