કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ગઇકાલે દેશની સૌપ્રથમ સુરત ગ્રીન વ્હીકલ નિતિ-2025નો શુભારંભ કરાવ્યો. સુરતમાં પ્રદૂષણમુક્ત પરિવહન સુવિધાને પ્રોત્સાહિત કરવા અને શહેરને ઈ-મોબિલિટીમાં દેશભરમાં અગ્રણી શહેર બનાવવા સુરત મહાનગરપાલિકાએ આ નીતિ લાગુ કરી છે. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે 142 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને 21 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરાયું હતું.આ પ્રસંગે તેમણે જણાવ્યુ, આવનારા 50 વર્ષમાં થનાર વસ્તીવધારો, શહેરીકરણને ધ્યાને લઈ સુરત મહાનગરપાલિકાએ આગવું ભવિષ્યલક્ષી આયોજન કર્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 18, 2025 9:14 એ એમ (AM)
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે દેશની સૌપ્રથમ સુરત ગ્રીન વ્હીકલ નિતિ-2025નો શુભારંભ કરાવ્યો
