કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સુરતના વરાછા ખાતે જળસંચય જન ભાગીદારી અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 5000 બોર બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ધી યૂથ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાઇટી દ્વારા કરાયું હતું.આ પ્રસંગે સંબોધન કરતાં શ્રી પાટિલે લોકોને જળસંચય અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી.દરમિયાન શ્રી પાટીલ આજે સવારે વિસાવદર મતવિસ્તારમાં વિવિધ જગ્યાએ જ્યારે સાંજે કડી વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર બેઠકોને સંબોધન કરશે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સવારે ડભોઇમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદઘાટન કરશે.
Site Admin | જૂન 9, 2025 9:52 એ એમ (AM)
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલે લોકોને જળસંચય અભિયાનમાં જોડાવા અપીલ કરી
