કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે એક દિવસના રાજ્યના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ અમદાવાદમાં સાત અને સૂરતમાં વિવિધ વિકાસ પરિયોજનાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આવતીકાલે સવારે તેઓ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન કરશે ત્યારબાદ તેઓ સુરતમાં શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રીફુલચંદભાઈ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમનું ઉદ્ઘાટન કરશે.સુરતના કાર્યક્રમ બાદ તેઓ અમદાવાદ મહાનગર પાલિકા અને રેલવેદ્વારા તૈયાર કરાયેલી વિવિધ વિકાસ લક્ષીયોજનાઓનું લોકાર્પણ કરશે જ્યારે પ્રવાસના અંતે તેઓ CIMS રેલ્વે ઓવરબ્રિજ નીચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને શરૂ કરાવશે.
Site Admin | જાન્યુઆરી 22, 2025 7:44 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે એક દિવસના રાજ્યના પ્રવાસે આવી રહ્યાં છે
