જાન્યુઆરી 15, 2026 9:36 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમત્રી અમિત શાહ અમદાવાદમાં આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલીનું વિમોચન કરશે

કેન્દ્રીય ગૃહમત્રી અમિત શાહ તેમના ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસના છેલ્લા દિવસે અમદાવાદમાં સસ્તુ સાહિત્ય મુદ્રણાલય દ્વારા પ્રકાશિત અને ગોતમ પટેલ દ્વારા સંપાદિત આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલીનું વિમોચન કરશે.
શ્રી શાહ ત્રણ દિવસથી ગુજરાતની મુલાકાતે છે. આ ત્રણ દિવસ દરમિયાન તેમણે તેમના સંસદીય વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું. જ્યારે ગઇકાલે તેમણે અમદાવાદના નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે પતંગોત્સવની ઉજવણી કરી હતી.