ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના વિરાટનગરમાં તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવાશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે અમદાવાદમાં તિરંગા યાત્રાને લીલી ઝંડી આપશે. આ યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાગ લેશે.હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ અમદાવાદના વિરાટનગર વિસ્તારમાંથી આ યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ યાત્રાનો ઉદ્દેશ્ય લોકોમાં એકતાઅને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપવાનો છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી શક્યતા છે.