કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે તેમના ગુજરાતનાં પ્રવાસ દરમિયાન ઈન્ડિયન મેડિકલ એશોશિએશન દ્વારા આયોજિત IMA નેટકોન 2025માં ભાગ લેશે. બાદમાં AMC દ્વારા નિર્મિત ડ્રેનેજ પાઇપલાઇન અને એસજી હાઈ વેના પ્રથમ તબક્કાના પાઇલટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, ઉપરાંત નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારને સનદ અર્પણ કરશે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત યુવા બિઝનેસ મહાસમેલન 2025 ના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેશે. ત્યારબાદ તેઓ મનિપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ નમોત્સવમાં ઉપસ્થિત રહેશે.
Site Admin | ડિસેમ્બર 27, 2025 7:36 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.. નમોત્સવમા ઉપસ્થિત રહેશે