ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 20, 2025 7:10 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અખંડ ભારતના નિર્માણમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહના અભૂતપૂર્વ યોગદાનને યાદ કર્યું – ભાવનગરમાં ભાજપના નવા કાર્યાલયનો શુભાંરભ કરાવ્યો.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, મહારાજા કૃષ્ણકુમાર સિંહના અભૂતપૂર્વ યોગદાનના કારણે આજે અખંડ ભારતનું નિર્માણ થયું. ભાવનગરમાં ભાજપના જિલ્લા કાર્યાલય “ભાવ કમલમ્”-નું લોકાર્પણ અને જિલ્લા તથા મહાનગર દ્વારા આયોજિત કાર્યકર્તા અભિવાદન સમારોહને સંબોધતા શ્રી શાહે આ વાત કહી.
આ પ્રસંગે શ્રી શાહે ભાવનગર શહેરની સ્વચ્છતાની પણ પ્રશંસા કરી.
શ્રી શાહે પક્ષના કાર્યાલયને કાર્યકર્તાનું બીજું ઘર ગણાવતા આ આધુનિક કાર્યાલયના નિર્માણ બદલ ભાવનગરના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા.