ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 13, 2025 7:55 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દિલ્હીમાં થયેલા આતંકી વિસ્ફોટના જવાબદારોને યોગ્ય સજા થાય તે માટે ભારત સરકાર કટિબદ્ધ.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દિલ્હીમાં કારમાં થયેલા આતંકવાદી વિસ્ફોટના જવાબદારોને કાયદાની અદાલતમાં યોગ્ય સજા થાય તે માટે ભારત સરકાર કટિબદ્ધ છે. ભવિષ્યમાં આતંકી ઘટના ન બને તેવું ઉદાહરણ પ્રસ્થાપિત કરાશે. મહેસાણામાં શ્રી મોતીભાઈ આર. સાગર સૈનિક સ્કૂલ અને નવીન સાગર ઑર્ગેનિક પ્લાન્ટ ખેરાલુના ઉદ્ઘાટન સમારોહમાં વર્ચ્ચૂઅલ માધ્યમથી ઉપસ્થિત શ્રી શાહે આ વાત કહી.
દૂધસાગર ડેરી અને દૂધસાગર સંશોધન અને વિકાસ સંગઠન – DURDA દ્વારા સંચાલિત આ કાર્યક્રમને સંબોધતા શ્રી શાહે રાજ્યના પશુપાલકો માટે કામ કરનારા મહાનુભાવોને પણ યાદ કર્યા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા ખાતે યોજાયેલા સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.