કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં સેક્ટર 17માં 28 હજાર 576 ચોરસ મીટરમાં તૈયાર કરાયેલા સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કર્યું. 325 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ નિવાસમાં વિશાળ બગીચા, બહુહેતુક સભાખંડ, વ્યાયામશાળા અને દવાખાનું, વાહન મુકવાના સ્થળ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.
વરસાદી પાણીના સંગ્રહ / કેચ ધ રૅઈન અને પર્યાવરણ જાળવણીના વિચારને અનુરૂપ પાણીના સંગ્રહ માટેના માળખા અને 600 વૃક્ષનું વાવેતર સાથે આ નિવાસ સંકુલ તૈયાર કરાયું છે. પ્રતિ આવાસ 238.45 ચોરસ મીટરની જગ્યામાં ત્રણ બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ઑફિસ રૂમ અને સર્વન્ટ રૂમની સુવિધા છે.
આ ઉપરાંત હાલના 12 બ્લોકના 216 આવાસમાંથી 10 બ્લોકના 180 આવાસમાં ફિક્સ તથા લૂઝ ફર્નિચર સાથે અને બાકીના 2 બ્લોકના 36 આવાસ ફક્ત ફિક્સ ફર્નિચર સાથે તૈયાર કરાયા છે.
Site Admin | ઓક્ટોબર 23, 2025 2:37 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં સેક્ટર 17માં 28 હજાર 576 ચોરસ મીટરમાં તૈયાર કરાયેલા સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કર્યું.