ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 29, 2025 8:44 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું – આજે, પૂર્વોત્તર અને જમ્મુ અને કાશ્મીર વિકાસ અને શાંતિના માર્ગ પર આગળ વધી રહ્યા છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આજે, પૂર્વોત્તર અને જમ્મુ અને કાશ્મીર વિકાસ અને શાંતિના માર્ગ પર આગળ વધી રહ્યા છે.તેઓ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિખર સંમેલન ‘નક્સલ મુક્ત ભારત: શ્રી મોદીના નેતૃત્વ હેઠળ લાલ આતંકનો અંત’ ના સમાપન સત્રમાં બોલી રહ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે સરકારે ત્રણ મુખ્ય સ્તંભો- સંવાદ, સુરક્ષા અને સંકલન – પર કામ કર્યું છે જેના કારણે 2004થી 2014ના દાયકાની તુલનામાં 2014 થી 2024 દરમિયાન પૂર્વોત્તરમાં સુરક્ષા કર્મચારીઓના મૃત્યુમાં 70 ટકાનો ઘટાડો થયો છે. આ જ સમયગાળા દરમિયાન આ ક્ષેત્રમાં હિંસાને કારણે નાગરિકોના મૃત્યુમાં પણ 85 ટકાનો ઘટાડો થયો છે.