કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુની મુલાકાત દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહે આજે વિક્રમ ચોક અને તાવી પુલ પર પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું. તેઓ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ પણ કરશે.
આ ઉપરાંત, શ્રી શાહ આજે રાજભવનમાં અધિકારીઓ સાથે બેઠક કરશે. તેમને ઉપરાજ્યપાલ મનોજ સિંહા, ગૃહ મંત્રાલય અને કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા બચાવ, રાહત અને પુનઃસ્થાપન કાર્યો વિશે માહિતી આપવામાં આવશે.
Site Admin | સપ્ટેમ્બર 1, 2025 1:26 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુના પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું.