સપ્ટેમ્બર 13, 2024 7:52 પી એમ(PM) | અમિત શાહ

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે દિલ્હીમાં યોજાનારા ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કરશે

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે દિલ્હીમાં યોજાનાર ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ઉદઘાટન સત્રમાં સંબોધન કરશે. આવતીકાલે હિન્દી દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહેલાં આ સંમેલનમાં શ્રી શાહ રાજભાષા ગૌરવ અને રાજભાષા ક્રિર્તી પુરસ્કારો એનાયત કરશે. તેમજ રાજભાષા ભારતીય સામાયિકના હીકર જયંતિ અંકનું વિમોચન કરશે.ઉલ્લેખનીય છે કે, હિન્દીને સત્તાવાર રાજભાષા તરીકે દરજ્જો મળ્યાને 75 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.