ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 29, 2025 2:13 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં જણાવ્યું કે, ઓપરેશન મહાદેવમાં પહલગામ આતંકી હુમલામાં સામેલ આતંકવાદીઓ ઠાર મરાયા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ઑપરેશન સિંદૂર અંગેની વિશેષ ચર્ચા દરમિયાન ઑપરેશન મહાદેવની માહિતી આપી. તેમણે કહ્યું, આ અભિયાન અંતર્ગત પહલગામ આતંકી હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓને ઠાર મરાયા છે. તેમણે કહ્યું, સેના, કેન્દ્રીય અનામત પોલીસ દળ- CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત અભિયાનમાં આ ત્રણેય આતંકી ઠાર મરાયા હતા.
શ્રી શાહે કહ્યું, જે લોકોએ આ આતંકવાદીઓને મદદ કરી હતી, તેમની પાસે પણ ઓળખ કરાવવામાં આવી હતી. આ જ લોકો પહલગામમાં હુમલો કરનારા આતંકવાદી હતા. આ ઉપરાંત ઘટનાસ્થળેથી મળેલી કારતૂસ અંગે ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળા- F.S.L. તપાસ કરાવવામાં આવી.