કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભારત 31 માર્ચ, 2026 સુધીમાં નક્સલવાદથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે. લખનૌમાં નવા ભરતી થયેલા 60 હજાર 244 કોન્સ્ટેબલના ઉત્તરપ્રદેશ પોલીસ નિમણૂક પત્ર વિતરણ સમારોહને સંબોધતા, શ્રી શાહે કહ્યું કે નક્સલવાદ, જે એક સમયે 11 રાજ્યોમાં ફેલાયેલો હતો, તે હવે ફક્ત ત્રણ જિલ્લાઓ સુધી સીમિત છે.
તેમણે જણાવ્યું હતું કે દેશના પોલીસ દળનું આધુનિકીકરણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયું હતું; ઉત્તરપ્રદેશમાં તેની શરૂઆત 2017માં થઈ હતી. શ્રી શાહે કહ્યું કે પહેલા પોલીસ દળમાં ભરતી જાતિના આધારે થતી હતી. પરંતુ આજે, ટેકનોલોજી દ્વારા તમામ ઉમેદવારોની સંપૂર્ણ પારદર્શિતા સાથે નિમણૂક કરવામાં આવી છે. તેમણે કહ્યું 11 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વંચિતો, આદિવાસીઓના જીવનને ઉજ્જવળ બનાવ્યું છે.