કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે મહારાષ્ટ્રમાં ગાંધીનગર NFSU- રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વ-વિદ્યાલયના પરિસરનું ખાતમુહૂર્ત કરશે. નાગપુરના ચિંચોલી ખાતે આ પરિસરનું નિર્માણ થઈ રહ્યું છે.
ગાંધીનગર NFSUના સંસ્થાપક કુલપતિ ડૉક્ટર જે. એમ. વ્યાસે જણાવ્યું, આ વિશ્વ-વિદ્યાલયના નવા પરિસરથી કૌશલ્ય પ્રાપ્ત ન્યાયસહાયક નિષ્ણાતો તૈયાર થશે. નાગપુર પરિસર વિશ્વ-વિદ્યાલયનું અગિયારમું અને મહારાષ્ટ્રનું પહેલું પરિસર હશે. આ પરિસર તપાસ સંસ્થાઓને મદદરૂપ થશે અને ન્યાયસહાયક ક્ષમતા નિર્માણમાં પણ વધારો કરશે એમ શ્રી વ્યાસે ઉમેર્યું.
Site Admin | મે 26, 2025 10:57 એ એમ (AM) | Amit Shah | narendra modi
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રમાં ગાંધીનગર NFSU- રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વ-વિદ્યાલયના પરિસરનું ખાતમુહૂર્ત કરશે
