કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં 708 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ વિકાસકામોમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાવોલ, ‘ચ’ રોડ પર નવનિર્મિત સેક્ટર 21 અને 22ને જોડતા અંડરબ્રિજનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે જાહેર સભાને સંબોધન કરતા ગૃહ મંત્રી અમિત શાહે આતંકવાદને નાબૂદ કરવા માટેની ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી અને જણાવ્યું કે આતંકવાદ સામે મોદી સરકારે અપનાવેલા કડક વલણની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. તેમણે કહ્યું કે, ભારતની સામે કરેલા કોઈપણ આતંકી પ્રવૃત્તિનો જવાબ કડક કાર્યવાહીથી આપવામાં આવશે. ઓપરેશન સિંદૂર મહા ભારતીય સેનાએ બતાવેલી બહાદુરીની પણ તેમને પ્રશંસા કરી હતી.
Site Admin | મે 17, 2025 7:24 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં આતંકવાદને નાબૂદ કરવા માટેની ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી
