મે 16, 2025 1:48 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. સત્તાવાર માહિતી મુજબ, શ્રી શાહ આવતીકાલે ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ સાંજે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાવોલ, ‘ચ’ રોડ પર નવનિર્મિત સેક્ટર 21 અને 22ને જોડતા અંડરબ્રિજ, પેથાપુરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કોલવડા તળાવનું લોકાર્પણ કરશે. ઉપરાંત શ્રી શાહ મહાનગરપાલિકા અને ટપાલ વિભાગના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.
ત્યારબાદ શ્રી શાહ રવિવારે અમદાવાદ અને મહેસાણાના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત વિકસિત ભારતના નિર્માણમાં સહકારિતાની ભૂમિકાના મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ મહેસાણામાં શ્રીમતી એસ. સી અને શેઠ ડી એમ સાર્વજનિક ટ્રસ્ટ, ગોઝારિયા સંચાલિત શ્રી કે. કે. પટેલ અને શ્રીમતી મધુબેન કે. પટેલ નર્સિંગ મહાવિદ્યાલયના નવનિર્મિત મકાનનું ઉદ્ઘાટન કરશે. ઉપરાંત શ્રી શાહ મહેસાણામાં ઓડિસ્સાની ફાલ્કન ગૃપ ઑફ કંપની દ્વારા શરૂ કરાયેલા ‘રેડી ટૂ કૂક ફ્રૉઝન પોટેટો પ્રોસેસિંગ પ્લાન્ટ’નું લોકાર્પણ કરશે.
ઉપરાંત શ્રી શાહ સાંજે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત પલ્લવ ઑવરબ્રિજનું લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ મહાનગરપાલિકાના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ઉપરાંત ગ્રામોદ્યોગ વિકાસ યોજના અંતર્ગત K.V.I.C. દ્વારા વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન વિતરણ સમારોહમાં ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.