કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી તામિલનાડુના પ્રવાસે છે. આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જેના કારણે રાજકીય ગતિવિધિઓમાં વધારો થયો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ, આજે પુડુકોટ્ટઈમાં એક જાહેર સભાનું આયોજન કર્યું છે. શાહ રેલીને સંબોધિત કરશે.
તમિલનાડુ ભાજપ પ્રમુખ નયનાર નાગેન્દ્રનની આગેવાની હેઠળ “તમિલનાડુ સર ઉઠાયે તમિલનો કી યાત્રા”, મદુરાઈમાં શરૂ થઈ હતી. યાત્રા આજે પુડુકોટ્ટઈમાં સમાપ્ત થશે. તિરુચિરાપલ્લી પહોંચ્યા પછી, કેન્દ્રીય મંત્રી શાહ હેલિકોપ્ટર દ્વારા પુડુકોટ્ટઈ જશે. તેઓ રાજ્ય પ્રમુખની યાત્રાના સમાપન સમારોહમાં ભાષણ આપશે. આ પછી, તેઓ રોડ માર્ગે ત્રિચી પહોંચશે. અહીં તેઓ રાજ્ય એકમના નેતાઓ સાથે ચર્ચા કરશે. ભાજપ નેતા અમિત શાહ સોમવારે સવારે શ્રીરંગમ રંગનાથસ્વામી મંદિરની મુલાકાત લેશે. આ પછી, તેઓ મન્નારપુરમમાં આયોજિત ‘મોદી પોંગલ મહોત્સવ’માં ભાગ લેશે.
Site Admin | જાન્યુઆરી 4, 2026 2:03 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજથી તામિલનાડુના બે દિવસના પ્રવાસે..પાર્ટીના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે